ઘાટ ઘડતા કંકરોને તોડવાથી શું થશે?
આજ બનતા શંકરોને ટોકવાથી શું થશે?

ધાડ કરતા પાડજે તું ત્રાડ તો આજે અહીં,
ભારભૂમિનો હટાવી શોધવાથી શું થશે?

આજ મારા એ ગુનાઓ દંડવાના છે અહીં,
હાર તો મારી થવાની રોકવાથી શું થશે?

વાત નંદી એ જણાવી જાણવાની છે મજા,
નાગની ફેણો ફણાવી ફેણવાથી શું થશે?

આગમાં તો એ બળે ‌ભડકે અહીં માતા હવે,
રાખને ભેગી કરી પણ ફેંદવાથી શું થશે ?

પલ્લવી જોષી ‘સરિતા’

Leave a comment