આચરણનું મહત્ત્વ

એકવાર એક રાજ્યના રાજા તેમના રાજ્યના રાજપુરોહિતનો ઘણો સન્માન કરતા હતા. જયારે પણ તેઓ આવતા, રાજા જાતે પોતાના સિંહાસન પરથી ઊભા રહીને તેમનું સન્માન કરતા. એક દિવસ રાજાએ કહ્યું: “મારે મનમાં એક પ્રશ્ન ઊભો થયો છે ગુરુદેવ, કૃપા કરીને કહો કે કોઈ વ્યક્તિનું આચરણ મોટું હોય છે કે પછી તેનો જ્ઞાન?”

રાજપુરોહિતએ ઉત્તર આપ્યો: “રાજન, મને થોડા દિવસનો સમય આપો, પછી હું તમને આ પ્રશ્નનો યોગ્ય જવાબ આપી શકીશ.”
રાજા બોલ્યા: “ગુરુદેવ, ઠીક છે.”

અગળના દિવસે રાજપુરોહિત રાજા ના કોષાગાર ગયા અને ત્યાંથી થોડા સોના ની મુદ્રાઓ પોતાની થેલીમાં મૂકી લીધા. કોષાધ્યક્ષ શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો, પણ એમ વિચાર્યો કે એ તો રાજપુરોહિત છે એટલે મૌન રહી ગયો. રાજપુરોહિત થોડીક દિવસ સુધી આવું જ કરતા રહ્યા — કોષાગારમાં જાય, સોના ની મુદ્રાઓ ઊઠાવે અને પાછા આવતાં.

કોષાધ્યક્ષે આખી વાત રાજાને કહી દીધી. એક દિવસ રાજપુરોહિત મહેલમાં આવ્યા, તો આજેય રાજા તેમને લેવા આવ્યા નહિ અને નહીં તો તેમનો સન્માન કરવા માટે સિંહાસન પરથી ઊભા થયા. રાજપુરોહિત સમજ્યા ગયા કે સોનાની મુદ્રાઓ ઉઠાવવાનો મુદ્દો રાજા સુધી પહોંચી ગયો છે.

રાજાએ કઢક અવાજમાં પુછ્યું: “શું તમે કોષાગારમાંથી સોનાની મુદ્રાઓ ચોરી કરી છે?”
રાજપુરોહિતએ શાંતિથી કહ્યું: “હા રાજન, આ વાત સાચી છે.”
રાજાએ ક્રોધથી પુછ્યું: “તમે આવું કેમ કર્યું?”

રાજપુરોહિત બોલ્યા: “મારે એ ઈચ્છા હતી કે હું તમને સ્પષ્ટ રીતે દેખાડું કે કોઈનું આચરણ મોટું હોય છે કે જ્ઞાન.

રાજન, જ્યારે તમને ખબર પડી કે મેં સોનાની મુદ્રાઓ ચોરી છે, ત્યારે તમે મારું સન્માન કરવાનું બંધ કરી દીધું, उलટાં તમારા ભ્રુકુટિએ રોષ બતાવ્યો.
મારું જ્ઞાન તો મુદ્રાઓ ઉઠાવવાની પહેલા પણ હતું અને પછી પણ હતું. પણ જ્યારે મને ચોર માનવામાં આવ્યું, ત્યારે મારા પ્રતિ તમારું જે સન્માન હતું એ લગભગ ખતમ થઈ ગયું.

રાજન, હવે કદાચ તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. તમારું મારું જે સન્માન હતું, એ મારા આચરણના આધારે હતું. જેમ જ મારા આચરણમાં ખોટ આવી, તમારું સન્માન પણ હટી ગયું.”

તેથી આપણે હમેશા સારા આચરણને જાળવવું જોઈએ. કારણ કે જો આપણું આચરણ સારું ન હોય, તો અમારી શિક્ષા, પદવી કે સંપત્તિ પણ અમને સાચો સન્માન અપાવી શકતી નથી.

સુચિતા રાવલ

Leave a comment